31 Jan, 2020

ANAND CENTRE OPENING

આણંદ માં "દાદા દર્શન" નું ઉદ્દઘાટન

 

પૂજ્ય દાદાશ્રીની ભાવનાને સાકાર કરતું વધુ એક "દાદા દર્શન"  આણંદ શહેરમાં પૂજ્ય  દીપકભાઈ ના વરદ હસ્તે ગઈ કાલે તારીખ 30મી જાન્યુઆરી ના રોજ ખુલ્લું મુકાયું. આ પ્રસંગે માત્ર આણંદના જ નહીં પણ, બીજા સેન્ટરના મહાત્માઓ એ ખૂબ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો. માત્ર 1વર્ષથી પણ ઓછા સમયમાં તેનું નિર્માણ કાર્ય પૂર્ણ થયેલ છે. પહેલા માળે 300 મહાત્માઓ એક સાથે સત્સંગ નો લાભ લઈ શકશે. લાંભવેલ - બાકરોલ રોડ પર આવેલ આ સેન્ટરમાં જનરલ સત્સંગ ઉપરાંત MMHT અને WMHT સત્સંગ પણ યોજાશે.

ટૂંક સમયમાં જ આ સેન્ટર પર GNC એક્ટિવિટી શરૂ થશે.

 

સત્સંગ નો સમય :

 

જનરલ સત્સંગ દર રવિવારે બપોરે 4 થી 6

MMHT દર રવિવારે સવારે 10 થી 11.30

અને દર ગુરૂવારે રાતે 8.30 થી 10

WMHT દર મંગળવારે બપોરે 2 થી 4

 

સ્થળ : સાવન પાર્ક,નૂપુર ફ્લેટ ની  સામે,

લાંભવેલ - બાકરોલ રોડ, આણંદ

 

સંપર્ક : 98980 26589