06 Mar, 2019

ભચાઉમાં ‘દાદા દર્શન’

આણંદ અને ગોંડલમાં ‘દાદા દર્શન’ ની જાહેરાત બાદ હવે વધુ એક ‘દાદા દર્શન’ થશે કચ્છના ભચાઉમાં !

 

ભચાઉના સ્વસ્તિક નગરમાં આ ‘દાદા દર્શન’ આકાર લેશે. ગ્રાઉન્ડ ફ્લોર તથા પહેલો માળ મળીને કુલ ૩૦૦૦ ફૂટનું બાંધકામ થશે.  ગ્રાઉન્ડ ફ્લોરમાં ભગવંતોની સ્થાપના કરવામાં આવશે. સત્સંગ હોલ ઉપરાંત અહીં લાયબ્રેરી તથા ઓફીસ માટે જગ્યા રહેશે. સત્સંગ હોલમાં આશરે ૨૦૦ મહાત્માઓ બેસી શકશે. ભચાઉમાં હાલમાં ૩ સ્થળોએ સત્સંગ એક્ટીવીટી ચાલી રહી છે. આ મહિનાના અંત સુધીમાં ભચાઉ ‘દાદા દર્શન’ નું બાંધકામ કાર્ય ચાલુ કરવામાં આવશે. 

     

‘દાદા દર્શન’ સ્થળ : વર્ધમાન જૈન સોસાયટી સામે, સ્વસ્તિક નગર, ભચાઉ, કચ્છ  

સંપર્ક : અરજણભાઈ  +91 8347270437