20 Feb, 2019

ગોંડલમાં દાદા દર્શન

ગોંડલમાં ‘દાદા દર્શન’

 


 
મહાત્માઓને અવિરતપણે સત્સંગ મળે, વધુ મહાત્માઓ એક જ જગ્યાએ ભેગા થઇ સત્સંગ પામે અને સત્સંગની તમામ એક્ટીવીટીઓ વધુ સારી રીતે થઇ શકે તેવા હેતુ સાથે ગુજરાતમાં ભિન્ન સેન્ટર્સ પર ‘દાદા દર્શન’ ના નિર્માણ માટે મહાત્માઓ સક્રિય થઇ રહ્યાં છે. અને હવે વધુ એક દાદા દર્શન નિર્માણ પામશે, ગોંડલમાં !

ગોંડલમાં ગુંડાળા રોડ પર આવેલ મારુતિ નંદન સોસાયટીમાં ૧૧૦૦ મીટરના પ્લોટ પર, ૨૧૦૦ ફૂટના શેડમાં ‘દાદા દર્શન’ આકાર પામશે. અહીં લગભગ ૩૦૦ મહાત્માઓ સત્સંગ માણી શકશે. તા. ૧ ફેબ્રુઆરીના ગોંડલ ‘દાદા દર્શન’નું બાંધકામ કાર્ય શરૂ થઇ ચુક્યું છે.
તા. ૧૮ ફેબ્રુઆરીના પૂજ્યશ્રી ગોંડલ ‘દાદા દર્શન’ ભૂમિ પર પધાર્યા હતાં. આ પાવન પ્રસંગે ગોંડલના મહાત્માઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં. મહાત્માઓએ ગોંડલમાં ચાલતી સત્સંગ એક્ટીવીટી વિશે પૂજ્યશ્રીને માહિતી આપી હતી. પૂજ્યશ્રીએ મહાત્માઓ સાથે વાર્તાલાપ કરી ગોંડલ ‘દાદા દર્શન’ તથા મહાત્માઓ માટે વિધિ કરી આશીર્વાદ પણ આપ્યાં.

દાદા દર્શન સ્થળ :

મારુતિનંદન સોસાયટી, નક્ષત્ર એપાર્ટમેન્ટ પાસે, ગુંડાળા રોડ, ગોંડલ.


સંપર્ક :  પરષોત્તમભાઈ 9426220904