08 Apr, 2019

જુનાગઢમાં ‘દાદા દર્શન’

 

વીકલી સત્સંગમાં વધારે મહાત્માઓ જોડાઈ શકે તે માટે સૌરાષ્ટ્રના જુનાગઢ શહેરની મધ્યમાં પૂજ્ય દાદાશ્રી અને પૂજ્ય
નીરુમાની કૃપાથી એક સત્સંગ હોલ – “દાદા દર્શન” તૈયાર થશે. આ માટે ૪૦૦ મહાત્માઓની હાજરીમાં તા.૧૭ માર્ચના
રોજ આપ્તપુત્રોના શ્રીહસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું.
લગભગ ૩૦૦ ચો.મીટરની જગ્યામાં ૨૧૦૦ ચો.ફૂટનો એક મોટો હોલ બનશે જે ૩૦૦ મહાત્માઓ સમાવેશ કરશે.
અહીં ૪૫૦ ચો.ફૂટનો એક નાના હોલ પણ બનશે જેમાં બાળકોની પ્રવૃત્તિઓ થશે.
જુનાગઢ ‘દાદા દર્શન’નું નિર્માણ કાર્ય શરૂ થઇ ચુક્યું છે.
જુનાગઢ દાદા દર્શન સ્થળ : હરિદ્વાર સોસાયટી, રેલ્વેસ્ટેશન પાસે, જુનાગઢ