04 Feb, 2019

આણંદમાં ‘દાદા દર્શન ’ નું ખાતમુર્હત

 
આણંદના લાંભવેલ-બાકરોલ રોડ પર આવેલા સાવન પાર્કમાં ‘દાદા દર્શન’ સેન્ટરનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થશે. ૩ ફેબ્રુઆરી ૨૦૧૯ ના સવારે આપ્તપુત્રોના શ્રી હસ્તે ‘દાદા દર્શન’ નું ખાત મુર્હત મહાત્માઓની હાજરીમાં થયું. ૩૫૦૦ ફૂટના પ્લોટ પર ‘દાદા દર્શન’ આકાર લેશે જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સ્ટોરેજ, ઓફીસ અને પાર્કિંગ રહેશે. પહેલા માળે ભગવંતોની સ્થાપના સાથે લગભગ ૨૫૦ થી ૩૦૦ મહાત્માઓ બેસી શકે તેવો સત્સંગ હોલ બનશે. ભવિષ્યમાં વધુ બે માળ બનાવી શકાય એવું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આણંદ ‘દાદા દર્શન’ માં જનરલ સત્સંગ, MMHT ( પરણિત મહાત્મા ભાઈઓ માટેનો સત્સંગ ), WMHT ( પરણિત મહાત્મા બહેનો માટેનો સત્સંગ ) તથા GNC ( ૩ થી ૨૧ વર્ષના બાળકો ) માટેની તમામ એક્ટીવીટીઓ શરૂ કરવામાં આવશે. 

દાદા દર્શન સ્થળ : સાવન પાર્ક, નૂપુર ર્ફ્લેટની સામે,લાંભવેલ- બાકરોલ રોડ, આણંદ

સંપર્ક : 9898026589