28 Jan, 2019

MMHT Shibir 2019 in Adalaj

Mmht શિબિર
પરિણીત ભાઈઓની જ્ઞાન પ્રગતિ માટેની શિબિર અડાલજમાં પૂજ્યશ્રી દીપકભાઈના સાનિધ્યમાં તારીખ ૨૩ જાન્યુઆરીથી ૨૭ જાન્યુઆરી દરમ્યાન યોજાઈ હતી. દેશ-વિદેશથી ૨૬૦૦ પરિણીત ભાઈઓએ તેમાં ભાગ લીધો હતો. આ વખતે શિબિરમાં “ફાઈલ ૨ સાથે અપેક્ષાથી થતાં કષાયો“ અને “ઉપરાણું”  વિષય પર પૂજ્યશ્રી દીપકભાઈએ ખૂબ જ સુંદર છણાવટ કરી હતી. બ્રહ્મચર્યને પુષ્ટિ આપતી આ શિબિરમાં વાંચન ઉપરાંત આપ્તપુત્ર ભાઈઓ સાથે ગ્રુપ-ડિસકશન રાખેલ હતા.
પૂજ્યશ્રીની ભાવના અનુસાર આ વખતે પણ મહાત્માઓ પોતાના વ્યક્તિગત માર્ગદર્શન અને જ્ઞાન-પ્રગતિમાં મુંઝવતા પ્રશ્નોના ઉકેલ  માટે A1, A2 અને A3 ગ્રુપમાં પૂજ્યશ્રી સાથે સત્સંગ ગોઠવાયેલ હતો, જેનો લાભ સૌ મહાત્માઓએ ખૂબ જ સરસ રીતે લીધો હતો.