06 Jan, 2020

VALSAD DADA DARSHAN OPENING

વલસાડ દાદા દર્શન ઓપનિંગ

 

દક્ષિણ ગુજરાતના  શિરમોરસમાન વલસાડ શહેરમાં તારીખ ૫ જાન્યુઆરીના વધુ એક "દાદા દર્શન" સેન્ટરનો શુભારંભ થયો. આ પહેલા પૂજ્ય દાદાશ્રીની પુણ્યતિથિના દિવસે સ્વામીની ભવ્ય શોભાયાત્રાનું આયોજન પણ કરવામાં આવેલ. આજુબાજુના સેન્ટરના મહાત્માઓએ પણ તેમાં ખૂબ જ ઉલ્લાસભેર હાજરી આપી હતી.

 

શહેરની મધ્યમાં આવેલ આ નવા સેન્ટરમાં ૨ હોલનો સમાવેશ થાય છે. મોટા હોલમાં ૭૦૦ મહાત્માઓ એકસાથે બેસી શકે છે, જ્યારે બીજા નાના હોલમાં ૧૫૦ મહાત્માઓ સત્સંગનો લાભ લઇ શકે છે. દર રવિવારે અત્રે જનરલ સત્સંગ ઉપરાંત MMHT અને WMHT સત્સંગ પણ અહીં ગોઠવાય છે.

 

આવનારા દિવસોમાં GNC એકટીવિટી પણ શરૂ થનાર છે.

 

સંપર્ક:

વિઠ્ઠલભાઈ પ્રજાપતિ 99243 43245