WMHT Shibir 2019 in Adalaj
પરણિત બહેનોની વાર્ષિક શિબિર પૂજ્યશ્રી દિપકભાઈ સાથે તારીખ ૧૭ થી ૨૧ જાન્યુઆરી દરમ્યાન અડાલજ ખાતે યોજાઈ. આ શિબિરમાં અલગ અલગ સેન્ટરમાંથી ૫૦૦૦ બહેનોએ ખૂબજ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. પૂજ્યશ્રી દ્વારા “ઉપરાણું” વિષય પર વિશેષ સત્સંગ કરવામાં આવ્યો હતો. બ્રહ્મચર્ય બૂક વાંચન, પ્રશ્નોતરી, આપ્તપુત્રી બેનો સાથે ગ્રુપ ડીસકશન, સામયિક, ગરબા તથા ભક્તિસભર આ શિબિરમાં પરિણીત બહેનોએ ખુબજ સારો લાભ લીધો. આ શિબિરમાં સેવાર્થી બેનો માટે પૂજયશ્રી સાથે અલગ સત્સંગ પણ ગોઠવાયેલ હતો.